રાજપીપળા પોલીસ દ્વારા શહેર મા રથયાત્રા અને બકરી ઇદ બાબતે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે રથયાત્રાના કારણે નર્મદા જિલ્લા નાયબ પોલીસ વડા રાજેશ પરમારના નેતૃત્વ હેઠળ રાજપીપળા પોલીસ સ્ટેશન દ્વારા ફુટપેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું ,આ ફૂટપેટ્રોલિંગ પ્રથમ રાજપીપળા પોલીસ સ્ટેશન થી શહેરના મુખ્ય માર્ગોમાં પોલીસ સ્ટેશન થી સફેદ ટાવર સફેદ ટાવર થી સબજેલ થઈને કોર્ટ પાસેથી લાલ ટાવર, દરબારોડથી જુના પોલીસ સ્ટેશન,આશાપુરી મંદિરથી કાછીયાવાડ, મોટા માછીવાડથી મેઇન રોડ પર નાગરિક બેંક પાસે કરાયા બાદ પોલીસ સ્ટેશનમાં પૂર્ણ કરવામાં આવી હતી જેમાં નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર રાજપીપળા પોલીસ પી.આઈ .ચૌધરી, પી.આઈ .જાદવ અને રાજપીપળા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ- અલગ ટુકડી દ્વારા રાજપીપળામાં રથયાત્રા સંદર્ભે ફૂટપેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું
નર્મદા નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારે જણાવ્યું હતું કે ૧૨મી તારીખે સંભવિત યોજાનાર રથયાત્રા અને ૨૧ તારીખે આવનારા બકરી ઈદ ના સંદર્ભે શાંતિ, સુરક્ષા અને કાયદા વ્યવસ્થાની જાળવણી બાબતે રાજપીપળા ટાઉન મા ફૂટપેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.