મામાને ઘેરથી ભગવાન પરત, આંખો ઉઠી હોવાથી નેત્રોત્સવ વિધિ ભારે ભકિતભાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન
ગૃહમંત્રીની સાથે સાથે સી.આર પાટીલની ઉપસ્થિતિ, સોમવારે અમિતભાઈ શાહ પરિવાર મંગળા આરતીમાં જોડાશે, વિજયભાઈ અને નીતિનભાઈ દ્વારા સોનાની સાવરણીથી રથ સાફ કરી રથયાત્રાનો મંગલ પ્રારંભ થશે
રાજકોટ તા.૧૦, અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે મામાના ઘેરથી ભગવાન પરત આવી પહોંચતા જગન્નાથ મંદિરે ભગવાનને આંખે પાટા બાંધવાની અર્થાત્ નેત્રોત્સવ વિધિ ભકિતભાવ ભર્યા વાતાવરણમાં થયેલ.
પોલીસ દ્વારા નવી રણનીતિ મુજબના બંદોબસ્ત મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાથે નિહાળ્યા બાદ ગૃહમંત્રી ફરી ઉચ્ચ પોલીસ ઓફિસરો સાથે મંદિર પર પહોંચી ગયા હતા.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ પણ ઉપસ્થિત રહ્યા હતાં .સોમવારે સવારે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ પરિવાર ઉપસ્થિત રહી લાભ લેશે.
રથયાત્રાનો પ્રારંભ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા સોનાની સાવરણીથી રથ સાફ કરી અર્થાત્ પહિદ વિધ બાદ કરવામાં આવનાર છે.