નડિયાદ-મહેમદાવાદ રોડ નજીક કારની હડફેટે બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત
નડિયાદ:નડિયાદ-મહેમદાવાદ રોડ ઉપર ગઈકાલે સાંજે કાર-મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે જણાંને ઈજા થઈ હતી જે પૈકી એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ અમદાવાદ રખીયાલમાં રહેતા કાશીમભાઈ ઝાકીરભાઈ રાજપૂત અને ઈરશાદ ઉર્ફે સમીર પઠાણ ગઈકાલે સાંજે મોટર સાયકલ નં. જીજે-૨૭ બીએમ-૪૬૫૫ હંકારી નડિયાદ-મહેમદાવાદ રોડ પર થઈ ઘરે જઈ રહ્યાં હતા ત્યારે અંધેજ નજીક પૂરપાટ ઝડપે આવેલ સ્વીફ્ટકાર નં. જીજે-૦૧ કેજે-૨૪૦૦ મોટર સાયકલ સાથે અથડાતા બંનેને ઈજા થતાં તુરંત જ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઈરશાદ ઉર્ફે સમીરખાં કમાલખાન પઠાણ (ઉં.વ.૨૨)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે કાશીમ ઝાકીરભાઈ રાજપૂતને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે નિશાર શહીદખાં પઠાણની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.