અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગાયક કલાકાર ફ્રેન્કલીન ક્રિશ્ચિયને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
પોતાના ઘરમાં ગળેફાંસો ખાદ્યો :દેશવિદેશમાં વિવિધ કાર્યક્રમોમાં પર્ફોમ્સ આપનાર ફ્રેન્કલિનના આપઘાતથી શોકની લાગણી
અમદાવાદના ખોખરા વિસ્તારમાં 41 વર્ષનાં સિંગર ફ્રેન્કલીન ક્રિશ્ચિયને પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે ફ્રેન્કલિનના આત્મહત્યાં કરતા પરિવાર અને કલાકારોમાં શોકની લાગણી છવાઇ છે. બનાવની જાણ થતાં ખોખરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે ખોખરા વિસ્તારમાં રહેતા અને દેશવિદેશમાં વિવિધ કાર્યક્રમોનું સંચાલન કરી ચુકેલા સિંગરે આપઘાત કર્યો છે. હાલ તેમણે કયા કારણોસર આપઘાત કર્યો છે તે સામે આવ્યું નથી. ફ્રેન્કલીન સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પર્ફોર્મ પણ કરતા હતાં અને તેનું આયોજન પણ કરતા હતાં.
ખોખરા પોલીસે આ મામલામાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ ઘરની તપાસ કરી રહી છે અને પરિવાર તથા આસપાસનાં લોકોની પૂછપરછ કરી રહી છે.