ગુજરાત
News of Friday, 10th May 2019

રાજ્યના શહેરી વિસ્તારમાં ઘર વિહોણા લોકોને શેલ્ટર હોમની વ્યવસ્થા- સુવિધા આપવા હાઇકોર્ટનો આદેશ

અનેક લોકો બહાર ફુટપાટ અને જાહેર માર્ગ પર સુવે છે: સરકારની યોજનાનો અમલ કેમ કરાતો નથી.?

અમદાવાદઃ રાજ્યમાં અપૂરતા શેલ્ટર હોમ અને તેની સ્થિતિને લઈને હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજી પર ચીફ જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે મહત્વનો વચ્ચગાળાનો આદેશ આપ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું કે રાજ્યની તમામ કોર્પોરેશનને શહેરી વિસ્તારમાં ઘર વિહોણા લોકો માટે શેલ્ટર હોમ ઉપલબ્ધ કરાવવું.

  હાઈકોર્ટે વચ્ચગાળાના આદેશમાં શેલ્ટર હોમની સાથે સાથે પૂરતી વ્યવસ્થા અને સુવિધા પણ ઉભી કરવાામાં આવે એવી ટકોર કરી હતી. રાજ્યમાં અનેક લોકો બહાર ફુટપાટ અને જાહેર માર્ગ પર સુવે છે ત્યારે સરકારની યોજનાનો અમલ કેમ કરાતો નથી.

   રાજ્યના શહેરી વિસ્તારમાં અપૂરતી સંખ્યામાં શેલ્ટર હોમ મામલે હાઇકોર્ટના સૂચન બાદ અરજદાર દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં શેલટર હોમમાં સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શેલ્ટર હોમમાં સુવિધા ઉપલબ્ધ કરવવા માટેની માર્ગદર્શિકાનું યોગ્ય અમલીકરણ કરવામાં આવ્યું નથી.

   હાઇકોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શેલ્ટર હોમમાં પરંતુ પાણી ઉપલબ્ધ નથી. એટલું જ નહિ ગેસ કનેક્શન પણ ન હોવાને લીધે વાસણોનો ઉપયોગ ન કરાયો હોવાથી પેટીપેક અવસ્થામાં મળી આવેલા છે.

   શેલ્ટર હોમમાં શૌચાલયની સંખ્યા રહેનારની સરખમણીમાં ખૂબ જ ઓછા છે.વળી ધબળા અને ચાદર પણ કોઈ ઉપયોગ કરી શકે એવી અવસ્થામાં નથી. સરેરાશ 30 લોકો વચ્ચે માત્ર 3 લીટરનો ગીઝર આપવામાં આવ્યા છે. હાઇકોર્ટના સૂચન બાદ અરજદાર અને તેમના વકીલ ખેમરાજ કોષ્ટિએ શહેરના શાહપુર - દુધેશ્વર અને ઘાટલોડિયા શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી.

(12:29 am IST)