ગુજરાત
News of Friday, 10th May 2019

મેહગામ સરપંચની ચૂંટણી સામેની અરજી રદ કરતી ભરૂચ કોર્ટ

૨૦૧૬ માં ભરૂચ તાલુકા ના મેહગામ માં સરપંચ ની ચૂંટણી હતી. જેમાં હંસાબેન વિરસંગભાઇ ગોહિલ ના ઓ એ ફ્રોમ ભરેલું અને રંજનબેન ગણપતભાઈ ગોહિલ ના ઓ એ ફ્રોમ ભરેલું ચૂંટણી તારીખ ૨૭-૧૨-૨૦૧૬ ના રોજ થયેલી. જેમાં રંજનબેન ને ૪૧૩ મત મળેલા અને હંસાબેન ને ૩૬૨ મત મળેલા આથી સરપંચ તરીકે રંજનબેન ગણપતભાઈ ગોહિલનો વિજય થયેલો.

આથી હંસાબેને ભરૂચની અદાલતમાં અરજી દાખલ કરેલ હતી. વિગતવાર પુરાવો લીધા બાદ ભરૂચના ચોથા મેજી ફ ક કુ .પી એન .જૈન દ્વારા તારીખ ૨૯-૦૪-૨૦૧૯ ના રોજ અરજદાર અને ચૂંટણી હારનાર હંસાબેનની અરજી રદ કરવામાં આવી હતી.આ કામ માં સરપંચ તરફે વકીલ તરીકે મહેન્દ્ર કંસારા હાજર રહ્યા હતા.

(10:46 pm IST)