News of Friday, 10th May 2019
ખાતરની બેગ્સમાં ઓછા વજનની બાબત ધ્યાને આવતા જીએનએફસી અને જીએસએફસીને બે દિવસ ખાતર વેચાણ બંધ રાખવા મુખ્યસચિવ ડો,જે,એન,સિંહની સૂચના
ગાંધીનગર :મુખ્ય સચિવ ડો જે એન સિંહે રાજ્યમાં ખાતર ની બેગ્સ માં ઓછા વજન અંગેની બાબત ધ્યાનમાં આવતા જી એન એફ સી અને જી એસ એફ સી ના મેનેજિંગ ડિરેક્ટર ને આ ખાતર વેચાણ આજથી બે દિવસ એટલે કે રવિવાર સુધી બન્ધ રાખવા સુચના આપી છે
રાજ્ય ના આ બે કમ્પનીઓ ના તમામ ડેપો અને વેચાણ કેન્દ્રો પર આ દરમ્યાન ખાતર ના વજન ની સંપૂર્ણ ચકાસણી વિડિયોગ્રાફી સાથે કરવાની સ્પષ્ટ સુચના પણ આપવામાં આવી છે*
*આ સમગ્ર પ્રકિયા સંતોષ કારક રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કર્યા બાદ જ સોમવારે થી આ ખાતર નું વેચાણ ફરી શરૂ કરવા ના દિશા નિર્દેશ મુખ્ય સચિવ એ જીએનએફસી જી એસ એફ સી ને આપ્યા છે
(10:37 pm IST)