નડિયાદમાં અપશબ્દો બોલવા બાબતે બે પાડોશીઓ બાખડ્યા: સામસામે ફરિયાદ થતા તપાસ શરૂ
નડિયાદ: શહેરના અમદાવાદી બજાર વિસ્તારમાં આવેલ મીરા ફળીયામાં રહેતાં મંજુરઈલાહી ઈમ્તિયાઝભાઈ સૈયદ ગતરોજ મોડી સાંજના સમયે કોઈ કારણોસર ઉશ્કેરાઈ જઈ હાથમાં તલવાર લઈ ફળીયામાં મોટેમોટેથી અપશબ્દો બોલતાં હતાં. જેથી આ જ ફળીયામાં રહેતાં અહેજાદઅહેમદ મુસ્તાકઅલી સૈયદ ઘરની બહાર આવી મંજુરઈલાહી સૈયદને અપશબ્દો બોલવાની ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો વધુ ઉગ્ર બનતાં ઉશ્કેરાઈ ગયેલા મંજુરઈલાહી સૈયદ તલવાર લઈ અહેજાદઅહેમદ પર હુમલો કરવા પાછળ પડ્યો હતો. જો કે આસપાસ રહેતાં લોકો ઝઘડામાં વચ્ચે પડી મામલો શાંત કર્યો હતો.
આ બનાવ અંગે અહેજાદ અહેમદ મુસ્તાકઅલી સૈયદની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે મંજુરઈલાહી ઈમ્તિયાઝભાઈ સૈયદ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.