ગુજરાત
News of Friday, 10th May 2019

ઉડાન યોજનાઃ 15 મેથી અમદાવાદ-કંડલાની નવી ફલાઇટ શરૂ : બુકીંગ શરૂ

અમદાવાદથી બપોરે 2:50 વાગે રવાના થઇ કંડલા 3:45 વાગે પહોંચશે:કંડલાથી 4:05 વાગે રવાના થઇ અમદાવાદ 5:00 વાગે લેન્ડ થશે

અમદાવાદ: કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ ટ્રુ જેટ એરલાઇન અમદાવાદથી કંડલા માટે આગામી 15 મેથી નવા સેક્ટર માટે ફલાઇટ ઓપરેટ કરશે. મુસાફરોને આકર્ષવા એરલાઇન કંપનીએ પ્રમોશનલ ફેરમાં રૂ.999 ટિકિટ ઓફર કરી છે. સિસ્ટમ પર ફલાઇટનું બુકીંગ પણ શરૂ કરી દેવાયુ છે.

અમદાવાદથી ટ્રુ જેટની ફલાઇટ પોરબંદર, જેસલમેર, નાસિક, ઇન્દોર હવે કંડલાની નવા સેક્ટરની મુસાફરોને સેવા આપશે. આગામી 15 મેથી શરૂ થતી આ સેક્ટરની સેવા માટે અમદાવાદથી બપોરે 2:50 વાગે રવાના થઇ કંડલા 3:45 વાગે પહોંચશે. કંડલાથી આ ફલાઇટ 4:05 વાગે રવાના થઇ અમદાવાદ 5:00 વાગે લેન્ડ થશે. ત્યારબાદ આ ફલાઇટ ઇન્દોર માટે ઉડાન ભરશે. નોંધનીય છે કે એર ડેક્કની અગાઉ અમદાવાદથી કંડલાની ફલાઇટ શરૂ કરવામાં આવી હતી પરંતુ મીસમેનેજમેન્ટના કારણે ઓપરેશન બંધ કરવુ પડ્યુ હતું.

(12:42 am IST)