News of Thursday, 10th May 2018
કઠલાલના લસુંદ્રા નજીક કેનાલમાંથી યુવક-યુવતીની લાશ મળી આવતા ચકચાર
કઠલાલ:તાલુકાના લસુંદ્રા ગામે નર્મદા કેનાલ નજીક આવેલ ગોચરમાંથી અજાણ્યા યુવક-યુવતીની લાશ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બંને યુવક-યુવતી પ્રેમી પંખીડા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે બંનેની ઓળખ થઈ નથી.
કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામે નર્મદા કેનાલ નજીક આવેલ ગોચરમાંથી અજાણ્યા યુવક-યુવતીની લાશ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બંને યુવક-યુવતી પ્રેમી પંખીડા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે બંનેની ઓળખ થઈ નથી.
આ બનાવ અંગે મહેન્દ્રભાઈ અંબાલાલ પટેલે જાણ કરતા કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(5:34 pm IST)