ગુજરાત
News of Thursday, 10th May 2018

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પાણીની ટાંકીઓ સુરક્ષાદળને અર્પણ

અમદાવાદ : ભારત રાષ્ટ્રની રક્ષામાં લાગેલા બહાદુર નવા જુવાનો ને માટે કચ્છ વિસ્તારમાં પાણીની સવલતો માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આચાર્યશ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૧ર૧ હસ્તે એક હજાર લીટરની કેપેસીટી વાળી એકસો નંગ પાણીની ટાંકીઓ સીમા સુરક્ષા દળ કચ્છને અર્પણ કરવામાં આવી હતી.

પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે દેશને સમર્પિત બહાદુર જુવાનોને જણાવ્યું હતું કે આપણા ભારત રાષ્ટ્ર માટે જેઓ સજાગ છે, ખડે પગે ઉભા રહી દેશ સેવા માટે દુઃખ વેઠે છે ત્યારે ભારતના તમામ નાગરિકો સુખનો અહેસાસ કરી રહ્યા છે.

શ્રી આઇ. કે. મહેતા, ડી.આઇ.જી. સીમા સુરક્ષા દળ, કચ્છ, શ્રી ભાલેન્દુ ત્રિવેદી, કમાન્ડર વિગેરે અધિકારીશ્રી ગણ ઉપસ્થિત રહ્યા હતા અને પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજને સન્માન પત્ર અર્પણ કરી બહુમાન કરાયા હતા.

પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે પણ દેશની સેવામાં તૈનાત એવા અધિકારીશ્રીઓને તથા નવ જુવાનોને શાલ, પુષ્પમાળા અર્પણ કરી પીઠ થાબડી આશિર્વાદ પાઠવ્યા હતા. તેવું સદગુરૂ ભગવત્પ્રિયદાસજી સ્વામી મહંતની એક યાદીમાં જણાવાયું છે.

(12:55 pm IST)