ગુજરાત
News of Saturday, 10th April 2021

સિવિલમાં એડમિટ ૧૨માંથી બે બાળક ઓક્સિજન ઉપર

પાછલા ૧૫ દિવસમાં ૩ બાળકોએ જીવ ગુમાવ્યા : નાના બાળકો ધરાવતા પરિવાર સાવચેતી રાખે, બાળકો માટે કોરોનાનો નવો સ્ટ્રેઈન જોખમી સાબિત થઈ રહ્યો છે

અમદાવાદ,તા.૧૦ : ગુજરાત સહિત ભારતભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને નવો સ્ટ્રેઈન બાળકો માટે પણ જોખમી સાબિત થઈ રહ્યો છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો પાછલા ૧૫ દિવસમાં કોરોનાના કારણે બાળકોના મોત થયા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યારે ૧૨ બાળકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે. કોરોનાગ્રસ્ત ૧૨ બાળકોમાંથી બે અત્યારે ઓક્સિજન પર છે. સિવિલમાં અત્યારે બે કોરોનાથી સંક્રમિત થયેલા બે નવજાત બાળકોની પણ સારવાર ચાલી રહી છે. બાળકોને આગળ જતા વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેમજ પરિસ્થિતિ ગંભીર બને તે માટે અલગથી સારવાર આપવામાં આવી રહી છે.

કોરોનાની નવી લહેરમાં બાળકો પણ સંક્રમિત થતા હોવાને કારણે તબીબો નાના બાળકો ધરાવતા પરિવારને ખૂબ સાવચેતી રાખવાની સલાહ આપે છે. ઉલ્લેખનીય છે કે સારવાર લઈ રહેલા ૧૨ બાળકો પૈકી બે બાળકોની પરિસ્થિતિ ગંભીર હોવાને કારણે તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે ૨૩મી એપ્રિલના રોજ અમરાઈવાડીની બે વર્ષની બાળકીનું કોરોનાને કારણે મોત થયુ હતુ. સિવાય ૫મી એપ્રિલના રોજ ચાંદલોડિયાના એક આઠ વર્ષના બાળકનું કોરોનાને કારણે મોત થયુ હતું જ્યારે એપ્રિલના રોજ મેમનગરની સાત વર્ષીય બાળકી કોરોના સામેની જંગ હારી ગઈ હતી.

ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, કોરોનાના નવા સ્ટ્રેઈનમાં નાના બાળકોમાં ઝાડા થવા મુખ્ય લક્ષણ છે. શક્ય છે કે ઝાડા-ઉલટી અને અશક્તિના કારણે બાળક વધારે રડે અથવા અસામાન્ય વર્તન કરે. બાળકને શરદી-ખાંસીની સામાન્ય અસર હોય તો પણ ડોક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. નાના બાળકોને મોટાભાગે પરિવારના અન્ય સભ્યોમાંથી ચેપ લાગે છે. પરિસ્થિતિમાં પરિવારના તમામ લોકોએ બાળકના સંપર્કમાં આવતા પહેલા હાથ સેનિટાઈઝ કરે તે જરૂરી છે. સિવાય ગર્ભવતી મહિલાઓને પણ ખાસ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવે છે. જો ગર્ભવતી માતા સંક્રમિત થાય તો બાળકને પણ કોરોના થવાનું જોખમ છે.

(9:15 pm IST)