ગુજરાત
News of Saturday, 10th April 2021

રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલને આજે સાંજ સુધીમાં ૧૦ હજાર નંગ રેમડીસિવીર ઇન્જેકશન પહોંચાડી દેવામાં આવશે : વિજયભાઇ રૂપાણી

આ રેમડીસિવિર ઇન્જેકશન રાજય સરકાર દ્વારા સુરત માટે ખાસ કિસ્સામાં આસામના ગૌહતીથી એરલિફટ કરીને સુરત પહોચાડવામાં આવી રહ્યા છે : આ ઉપરાંત રાજય સરકારે સુરત જિલ્લા કલેકટરને ૨૫૦૦ રેમડીસિવિર ઇન્જેકશન પહોંચાડી દીધા છે : આમ કોરોના સંક્રમણ સામે નાગરિકોની આરોગ્ય રક્ષા માટે રાજય સરકારે એક જ દિવસમાં સુરત માટે કુલ ૧૨,૫૦૦ રેમડીસિવિર ઇન્જેકશન ફાળવ્યા છે : અમદાવાદમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિવેદન : ૨૦ નવા ધન્વંતરિ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે, ગુજરાતમાં ૧૨૦૦થી વધારે ધન્વંતરિ રથ દોડી રહ્યા છે.

(12:46 pm IST)