ગુજરાત
News of Friday, 10th April 2020

બોરસદ તાલુકાના અમીયાદમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી 3શખ્સોને માર મારી ઇજા પહોંચાડનાર વિરુદ્ધ ગુનો દાખલ

બોરસદ: તાલુકાના અમિયાદ ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખીને પતિ-પત્ની અને માતાને લાકડાના ડંડા તેમજ ગડદાપાટુનો માર મારતાં આ અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર કોલોની વિસ્તારમાં રહેતા જયાબેન સંજયભાઈ રોહિત પોતાના ઘરે હાજર હતા ત્યારે નજીકમાં જ રહેતા બાબુભાઈ પ્રેમજીભાઈ રોહિત આવી ચઢ્યા હતા અને અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને સંજયભાઈને ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કર્યું હતુ. જેથી ગાળો નહીં બોલવા માટે કહેતા જ બાબુભાઈએ ઉશ્કેરાઈ જઈને લાકડાના ડંડાથી માર માર્યો હતો. જયાબેન અને તેમના સાસુ કમળાબેન છોડાવવા વચ્ચે પડતા તેમને પણ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(6:30 pm IST)