ગુજરાત
News of Friday, 10th April 2020

નડિયાદના જવાહરનગરમાં સોસાયટીમાં ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી:પાંચ શખ્સો 17 હજારના મુદામાલ સાથે ઝડપાયા

નડિયાદ: શહેરના જવાહરનગર વિસ્તારમાં આવેલ ઝુલેલાલ સોસાયટી પાસેની ઝુલેલાલ મંદિરની વાડીમાં ગતરોજ સાંજના સમયે કેટલાક ઈસમો ભેગા થઈ જુગાર રમતાં હોવાની માહિતી નડિયાદ ટાઉન પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે તાત્કાલિક બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડયો હતો અને સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં પાંચ ઈસમોને રંગેહાથે ઝડપી પાડયાં હતાં.

જેમાં રાકેશભાઈ ધરમદાસ અવતાણી, પ્રકાશભાઈ કિશનભાઈ અવતાણી, લક્ષ્મણભાઈ તેહરામ મચસુખાણી, જયપ્રકાશ પેશુમલ ચંદવાણી અને દેવાનંદ ઉર્ફે નંદલાલ શીવનંદન અવતાણીનો સમાવેશ થાય છે.

(6:29 pm IST)