આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં 23 વર્ષીય મહિલા હોમ ક્વોરેન્ટાઇનનો ભંગ કરી ભાગી જતા ગુનો દાખલ
આણંદ: જિલ્લાના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામની ૨૩ વર્ષની મહિલા આશીયાબાનુ સલીમખાન પઠાણ સાવલીમાં શેખ વગામાં તેના પિયરમાં આવી હતી. તા.૨૯ના રોજ તેનું મેડિકલ ચેક અપ કરાવ્યા બાદ સાવલીના મેડિકલ ઓફિસર દ્વારા ૧૪ દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવા માટે જણાવાયું હતું. તેમને કોઇપણ પ્રસંગે પોતાના રહેણાંકની બહાર જવું નહી તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
જો કે તા.૪ના રોજ આરોગ્ય કર્મચારી દ્વારા જ્યારે શેખ વગામાં જઇ તપાસ કરતા આશીયાબાનું ઘેર મળી ન હતી. તેના ઘેર હાજર પિતાની પૂછપરછ કરતા તે તેની સાસરીમાં જતી રહી છે તેમ કહ્યું હતું. હોમ ક્વોરેન્ટાઇન હોવા છતાં આશીયાબાનું જિલ્લા બહાર જતા રહેતા મેડિકલ ઓફિસર ડો.જ્યોતિકાબેન જાદવે આશીયાબાનું સામે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.