ગુજરાત
News of Friday, 10th April 2020

વડોદરાના ન્યાયમંદિર વિસ્તાર નજીક આવેલ લોજમાંથી 60થી 70 પરપ્રાંતીઓ હોવાની માહિતી મળતા પોલીસે તાત્કાલિકમાં તપાસ હાથ ધરી

વડોદરા:શહેરના ન્યાયમંદિર વિસ્તારમાં આવેલી સંતોષ નિવાસ લોજમાં 60થી 70 પરપ્રાંતિયો વસવાટ કરી રહ્યા છે તેવી માહિતી પોલીસ વિભાગને મળી હતી. જેને આધારે પોલીસ તથા આરોગ્યની ટીમે સંતોષ નિવાસ લોજમાં ચેકિંગ હાથ ધર્યું હતુ.

જે દરમિયાન લોજમાંથી કુલ 70 લોકો મળી આવ્યા હતા. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યુ હતુ કે, મોટાભાગના લોકો જમ્મુ-કાશ્મીરથી આવ્યા હતા અને બાકીના ઉત્તરપ્રદેશ અને બિહારના હતા. પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે, જમ્મુ-કાશ્મીરના લોકો વડોદરામાં ગરીબ બાળકો માટે ફાળો ઉઘરાવવા આવ્યા હતા અને ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો નાનામોટા વેપાર-ધંધા માટે આવ્યા હતા. 

(6:12 pm IST)