ગુજરાત
News of Friday, 10th April 2020

કોરોના સામે ફાઇટ કરી શકે તેવો એન્ટી ડોટ બનાવવા તબીબી વિજ્ઞાન રાત-દિવસ એક કરી રહ્યુ છે ત્યારે કોરોનાની જીવનરક્ષક દવા બનાવી હોવાનો સુરતના તબીબનો દાવો

સુરત: મેડિકલ સાયન્સ માટે પણ કોરાનાનો ઈલાજ સૌથી મોટો પડકાર બની રહ્યો છે. કોરોના સામે ફાઇટ કરી શકે તેવો એન્ટી ડોટ બનાવવા તબીબી વિજ્ઞાન રાત દિવસ એક કરી રહ્યું છે. આ વચ્ચે સુરતના તબીબ કે જેઓ RNA વાયરસમાં PHD કરી ચૂક્યા છે તેઓએ કોરોનાની જીવનરક્ષક દવા બનાવી અનોખો આવિષ્કાર કર્યો હોવાનો દાવો કર્યો છે.

કોરોના વાયરસ એ RNA વાયરસનો એક પ્રકાર છે. સુરતના ડૉ ચેતન બલરે RNA વાયરસ ઉપર PHD કરી છે. હાલ જ તેઓ દ્વારા એક એવી દવા તૈયાર કરવામાં આવી છે, જે RNA વાયરસ સામે લડી શકે છે. નોઝલ સ્પ્રે નાક અથવા મોઢાના માધ્યમથી દર્દીને આપી શકાય છે. એક સ્પ્રે ની કિંમત 400 છે જે 20 દિવસ સુધી ચાલે છે. હાલ કોરોના સામે આ સ્પ્રે તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. તેમણે માર્ચ મહિનામાં પેટર્ન માટે મોકલી આપ્યા છે. તેઓ આ સ્પ્રેનું પ્રોડક્શન ભારત અને અમેરિકામાં કરશે.

કોરોનાની ઝપેટમાં આવનારા દર્દીઓને ગ્લાઇકો પ્રોટીન દવા આપવામાં આવે તો શરીરમાં ઇન્ફેકશન એસ્ટેબલિસ થવા દેશે નહિ અને ઇન્ફેકશન ફેલાઈ ગયો હોય તો તાત્કાલિક અસરથી ઇન્ફેકશનની તીવ્રતાને 70 ટકા સુધી ઘટાડી દેવાની ક્ષમતા ધરાવે છે. દવાની પોઝિટિવ અસરથી મેક્રોફાજ એટલે નેચરલ કિલર સેલ કાર્યરત થઈ જાય છે. જે પછી શરીરમાં IGM, IGA, અને IGE એન્ટીબોડી બેઇઝડ હ્યુમરલ ઈમ્યુન સિસ્ટમ પણ એક્ટિવ થઇ જાય છે. કોરોનાની અસર વધે નહિ તે માટે પણ આ દવા પ્રિવેન્ટિવ તરીકે કામ કરી શકે છે. 10 દિવસનો કોર્સ કરવાથી કોરોના સામે ફાઇટ કરવા માટે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ચોક્કસ પણે વધારો થઈ જાય છે.

ભારત સરકારને પણ ઉત્સાહભેર સુરતના ડોક્ટર ચેતન બલરના સંશોધનમાં ઊંડો રસ પડ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા પ્રેઝન્ટેશન કરવા માટે આગામી બે સપ્તાહમાં થઈ શકે છે. અગાઉ તેઓ કેન્દ્રીય આરોગ્ય મંત્રી સમક્ષ આ રોગના ઈલાજ અંગે ઉંડાણપૂર્વક પ્રેઝન્ટેશન કરી ચૂક્યા છે.. હવે ફરી દિલ્હી ખાતે આ સમગ્ર કમિટી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરશે. એટલું જ નહીં અમેરિકાના મેંરીલેન્ડ કોંગ્રેસમેન ડેવિડ ટ્રોન ની સાથે પણ આ સ્પ્રે ને લઈ ચર્ચા હાથ ધરી છે અને તેઓએ આ દવાના શોર્ટ ટ્રાયલ માટે US FDA સાથે સંપર્ક કરાવ્યો છે.

(4:47 pm IST)