News of Wednesday, 10th April 2019
અલ્પેશ ઠાકોરનું રાજીનામુ દબાણની રાજનીતિ પ્રેરિત : તાનાશાહ સામે યુવાનોએ લડવું જોઈએ :હાર્દિક પટેલ
ગઈકાલે સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ ફોન ઉપાડવાની તસ્દી લીધી નથી
અમદાવાદ ;અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ પાટીદાર અનામત આંદોલનના કન્વિનર અને કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર હાર્દિક પટેલ અલ્પેશના નિર્ણયને દબાણની રાજનીતિ ગણાવી હતી.
અલ્પેશ ઠાકોરના રાજીનામા અંગે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર અંગે દબાણની રાજનીતિ થઇ રહી છે. અલ્પેશનો મે ગઇ કાલે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તેણે ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી નથી. હજી પણ હું તેમનો સંપર્ક કરવાનો છું. અને મારો પ્રયત્ન ચાલું રહેશે. હું ચાહું છું કે તાનાહશાહ સરકાર સામે યુવાનો લડે
(12:20 am IST)