આણંદમાં અકસ્માત બાદ કારમાં લાગી આગ લાગતા ચાલકનું મોત
આણંદઃ આણંદ સોજીત્રા રોડ ઉપર કાર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત બાદ કારમાં ભીષણ આગ લાગી હતી. જેના પગલે કારમાં સવાર કાર ચાલકનું સળગી જતાં મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા અને ફાયર બ્રિગેડની જાણ કરતા ટીમ સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, કાર ચાલક સળગતી કારમાં જીવતો ભુંજાયો હતો.
મળતી માહિતી પ્રમાણે શુક્રવારે મોડી રાત્રે આણંદના સોજીત્રા રોડ ઉપર સુરત ર્પાસિંગની કાર પસાર થઈ રહી હતી. મળતી માહિતી પ્રમાણે શુક્રવારે મોડી રાત્રે આણંદના સોજીત્રા રોડ ઉપર સુરત ર્પાસિંગની કાર પસાર થઈ રહી હતી. આ દરમિયાન કાર અચાનક પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો અને કારમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા આખી કાર આગની ઝપેટમાં આવી ગઇ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે કારમાં આગ લાગવાના કારણે કાર ચાલક આગમાં જીવતો સળગી જતા મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સાથે સાથે સ્થાનિક લોકોના ટોળા પણ સ્થળ ઉપર એકઠાં થયા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે