News of Wednesday, 10th February 2021
ભચરવાડા ગામથી સગીર વયની દીકરીને લગ્નની લાલચે ભગાડી જનાર વાગેથાના યુવાન વિરુદ્ધ ગુનો નોંધાયો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભચરવાડા ગામથી 14 વર્ષની સગીર વયની દીકરીને લગ્નની લાલચે ભગાડી જનાર વાગેથા ગામના યુવાન વિરુદ્ધ રાજપીપળા પો.સ્ટે.માં અપહરણનો ગુનો દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદીની 14 વર્ષીય દિકરી કુદરતી હાજત કરવા ગયેલ એ વખતે અજયભાઇ રમેશભાઇ વસાવા (રહે.વાગેથા,તા.નાંદોદ,જી.નર્મદા) લગ્ન કરવાના ઇરાદે સગીરાને ભગાડી લઇ જતા દીકરીના પિતાએ યુવાન વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે
(10:26 pm IST)