ગુજરાત
News of Wednesday, 10th February 2021

રાજ્યમાં કોરોના થાક્યો: વધુ 495 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 255પોઝિટિવ કેસ નોંધાયા:આજે એકપણ મૃત્યુ નથી : કુલ મૃત્યુઆંક 4397 : કુલ 2,57,968 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે રાજ્યના 10 જિલ્લામાં એકપણ કેસ નહીં : આજે વધુ 53,615 લોકોને રસી અપાઈ : કુલ 6,60,516 લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં આજે વડોદરામાં 50 કેસ, અમદાવાદમાં 47 કેસ, રાજકોટમાં 40 કેસ, સુરતમાં 33 કેસ, આણંદ ,ગાંધીનગર , જામનગર ગીર સોમનાથ,અને મહીસાગરમાં 7-7 કેસ, સાબરકાંઠામાં 6 કેસ, અમરેલી, ભરૂચ અને દાહોદમાં 4-4 કેસ,: હાલમાં રાજ્યમાં 1800 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 255 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 495 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 255 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 495 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,57,968 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી,રાજ્યમાં  મૃત્યુઆંક  4397 છે  રાજ્યમાં રિકવરી રેટ 97,65 થયો છે

 રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છે, જયારે આજે 883 કેન્દ્રો ઉપર 53,615 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 7,14,131 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

   આજે રાજ્યના 10 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી, રાજ્યમાં હાલ 1800 એક્ટિવ કેસ છે. જેમાંથી  26 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 1774 દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યમાં આજે એકપણ  દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી   

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 255 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ વડોદરામાં 50 કેસ, અમદાવાદમાં 47 કેસ, રાજકોટમાં 40 કેસ, સુરતમાં 33 કેસ, આણંદ ,ગાંધીનગર , જામનગર ગીર સોમનાથ,અને મહીસાગરમાં 7-7 કેસ, સાબરકાંઠામાં 6 કેસ, અમરેલી, ભરૂચ અને દાહોદમાં 4-4 કેસ, રાજકોટમાં 34 કેસ,ગાંધીનગરમાં 8 કેસ, આણંદમાં 7 કેસ, જૂનાગઢમાં 6 કેસ, અને નર્મદામાં 4 કેસ નોંધાયા છે

(7:46 pm IST)