ગુજરાત
News of Wednesday, 10th February 2021

સુરતના ગોડાદરા વિસરમાં પિત્તના અવસાન બાદ પત્ની સહીત બે પુત્રી સાથે સાસરામાં રહેતા યુવાને પત્નીના ગળામાં ચપ્પુ મારી પોતે પણ ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં પિતાના અવસાન બાદ સામાજીક માન્યતાને લીધે પત્ની, બે પુત્રી સાથે સાસરે રહેતા મૂળ તેલંગાણાના યુવાને ત્રણ દિવસ અગાઉ પત્નીને ગળામાં ચપ્પુ મારી પોતાના ગળા ઉપર પણ ફેરવ્યું હતું. સદ્ભાગ્યે બંનેને સામાન્ય ઇજા થઈ હતી.

જોકે, સાસરે રહેવા ગયા બાદ યુવાન કામ છોડી ઘરખર્ચ માટે નોકરી કરતી પત્ની સાથે નાની નાની વાતોમાં ઝઘડો કરતો હોય તેની પત્નીએ હુમલા અને ત્રાસ અંગે છેવટે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ તેલંગાણાનો વતની અને સુરતમાં લીંબાયત માર્કંડેશ્વર મહાદેવ મંદિરની સામે ગિરિરાજનગર ઘર નં.48 માં રહેતો તેમજ મારુતિનગરમાં ટેલરીંગ કામ કરતો દશરથ નરસૈયા પોલાસુ પિતાનું છ માસ અગાઉ અવસાન થતા જે ઘરમાં કોઈનું અવસાન થાય ત્યાં અપશુકન ગણાય તેવી સમાજની માન્યતાને લીધે પત્ની શોભા ( ઉ.વ.32) અને બે પુત્રીઓ સ્પંદના ( ઉ.વ.10 ) તેમજ સ્ક્રુતિ ( ઉ.વ.8 ) સાથે ગોડાદરા આસપાસ મંદિર પાસે નીલકંઠ સોસાયટીમાં સાસરે રહેવા ગયો હતો. ગત 7 મી ના રવિવારે બપોરે 2.30 કલાકે શોભા કામ ઉપરથી ઘરે પરત ફરતી હતી ત્યારે ઘર નજીકની ગલીમાં દશરથે પાછળથી આવી શોભાના વાળ પકડી ગળામાં ચપ્પુ મારતા તેને સામાન્ય ઇજા થઈ હતી. બાદમાં દશરથે પોતાના ગળા ઉપર પણ ચપ્પુ ફેરવતા તેને પણ સામાન્ય ઇજા થઈ હતી.

(5:17 pm IST)