News of Wednesday, 10th February 2021
વડોદરા નજીક આમોદરમાં શ્વાનને લાકડીના ફાટક મારી મોતનેઘાટ ઉતારનાર ક્રૂર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
વડોદરા:શહેર નજીક આવેલા આમોદર ગામ માં યુવકે કૂતરાને લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેતા જીવ દયા સંસ્થાના કાર્યકર્તાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વડોદરા શહેરના નિસર્ગ ભાઈ શેઠ જીવદયા સંસ્થામાં કામ કરે છે.
વાઘોડિયા તાલુકાના આમોદર ગામના રહેવાસીએ ફોન થકી તેમને જાણ કરી હતી કે ગઈકાલે ગામમાં જ રહેતા જશવંતભાઈ પરમારે રખડતા કૂતરાને લાકડી વડે છથી સાત ફટકા મારી મારી નાખ્યો છે જેથી તેઓ સ્થળ પર પહોંચતા કુતરો મૃત હાલતમાં મળી મળી આવ્યો હતો.
બનાવ સંદર્ભે તેઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ જશવંત પરમાર વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(5:16 pm IST)