ગુજરાત
News of Saturday, 10th February 2018

વેલેન્ટાઈન-ડેની ઉજવણીથી દૂર રહેજો : અમદાવાદમાં લવજેહાદના પોસ્ટરો લાગ્યા

વિશ્વભરમાં ૧૪મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન-ડે ઉજવવામાં આવે છે ત્યારે આ ઉજવણી કરનાર યુવક - યુવતીઓને દર વર્ષે ભારતીય સંસ્કૃતિના નામે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વેલેન્ટાઈન ડેની ઉજવણીથી દૂર રહેવા ચેતવણી અપાઈ છે. જેથી જાહેરમાં આ દિવસની ઉજવણી માટે યુવક - યુવતીઓમાં ભય રહેતો હોય છે. અમદાવાદ શહેરમાં આ બાબતે હંમેશા કોઈને કોઈ વિવાદ ઉભો થતો રહ્યો છે ત્યારે શહેરની કોલેજ બહાર અત્યારથી જ લવજેહાદના પોસ્ટરો જોવા મળ્યા છે. જેમાં બજરંગદળ કર્ણાવતીનું નામ દેખાય રહ્યુ છે. આમ, વેલેન્ટાઈન ડે પૂર્વે લવ જેહાદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. જો કે, આ પોસ્ટર કોને લગાવ્યા તે સત્તાવાર જાહેર નથી થયુ. આમ છતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે શહેરમાં કોલેજો આસપાસ સઘન બંદોબસ્ત  ગોઠવ્યો છે.

(5:55 pm IST)