ગુજરાત
News of Saturday, 10th February 2018

સોફટવેર અપગ્રેડેશનના કારણે સુરતમાં ગુરૂવાર સુધી એટીએમ બંધ

સુરત : સુરતમાં ગુરૂવાર સુધી સોફટવેર અપગ્રેડશનના કારણે બેન્કોના એટીએમ બંધ રહેશે જેથી લોકોને નાણા માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરતમાં આગામી ગુરુવાર સુધી મોટા ભાગના એટીએમ બંધ રહે તેવી સંભાવના છે. સોફટવેર અપગ્રડેશનના કારણે શહેરના મોટાભાગના એટીએમ બંધ રહેશે. સુરતમાં કુલ ૨૨૫૦ એટીએમને બે ભાગમાં અપગ્રેડ કરાશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ૧૫ ફેબ્રુઆરી સુધી એટીએમ બંધ રહેશે.  શનિ રવિ અને તહેવારો દરમ્યાન લોકોને એટીએમમાંથી નાણાં ઉપાડવામાં તકલીફોનો સામનો કરવો પડશે.

(5:23 pm IST)