ગુજરાત
News of Friday, 10th January 2020

નાંદોદના રૂંઢ ભીલવાડા ગામની નદીમા નાહવા પડેલા આધેડનું ડૂબી જતાં મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકામાં કરજણ નદીમાં નાહવા ગયેલા આધેડ વ્યક્તિનું ડૂબી જતાં મોત થયું હતું.

  પ્રાપ્ત માહિતી અનુસાર રૂંઢ ભીલવાડા ગામના મનહરભાઈ ભઇલાલભાઈ વસાવા(ઉ.વ.૫૫) ગત ૭ જાન્યુઆરીના રોજ સાંજે ૫ વાગે રૂંઢ ભીલવાડની નદીમા નાહવા પડ્યા હતા તે દરમ્યાન પાણીના વહેણમા તણાઇ જતા ઉંડા પાણીમા ગરકાવ થતા તેઓ ડુબી ગયા હોય તેમની શોધખોળ ચાલુ હતી ત્યારે તા.૯ જાન્યુઆરીના રોજ નર્મદા નદીમાથી તેમનો મૃતદેહ મળતા રાજપીપળા પોલીસે અ.મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

(6:32 pm IST)