સુરતના વેડરોડ પર ગણતરીની કલાકોમાં બે યુવાનની કરપીણ હત્યા થતા અરેરાટી મચી જવા પામી
સુરત,: સુરતના વેડરોડ ઉપર બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બાદ ઉધના અને મહિધરપુરા વિસ્તારમાં ગણતરીના કલાકોમાં બે યુવાનની હત્યા કરેલી લાશ મળતા પોલીસ દોડતી થઈ હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેડરોડ ઉપર બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બાદ મોડીરાત્રે 11.10 ના અરસામાં ઉધના ત્રણ રસ્તા પાસે નવા રોડની સામે જયેશ મેડીકલની બાજુમાં ગુજરાત ગારમેન્ટની દુકાનના ઓટલા પાસે એક યુવાન લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં મળતા ઉધના પોલીસ ત્યાં દોડી ગઈ હતી.પોલીસે તપાસ કરતા અંદાજીત 30 થી 35 વર્ષના યુવાનને ડાબી બાજુ છાતીના ભાગે બગલની નીચે તિક્ષ્ણ હથીયાર મારી હત્યા કરાઈ હતી.પોલીસે ગુજરાત ગારમેન્ટની દુકાનના માલિક ચિરાગ દિનેશભાઇ બહોરાનો સંપર્ક કરી બોલાવી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે રાત્રે નવ વાગ્યે દુકાન બંધ કીર ઘરે જવા નીકળ્યા ત્યારે તેમની દુકાનની આજુબાજુની દુકાનોના ઓટલા પર કેટલાક લોકો સુતા હતા.પણ તેમની દુકાનના ઓટલા પર કોઈ સૂતું નહોતું.પોલીસે અજાણ્યાઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી મૃતકની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે.