વડોદરામાં પતિ પત્ની વચ્ચે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું:આવેશમાં આવી પત્નીએ ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા અરેરાટી
વડોદરા : સંતાન બાબતે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવીને પત્નીએ બેડરૃમનો દરવાજો અંદરથી બંધ કરીને ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ગોત્રી વાસણા રોડ પરની જયઅંબે સોસાયટીમાં રહેતા અમિતકુમાર શર્મા ખાનગી કંપનીમાં નોકરી કરે છે.અમિતના લગ્ન રાજસ્થાનના અલવર ખાતે રહેતી નમિતા નામની યુવતી સાથે ૧૭ વર્ષ પહેલા થયા હતા.લગ્નજીવન દરમિયાન તેઓને કોઇ સંતાન થયા નહતા.સંતાન બાબતે ટ્રીટમેન્ટ કરવા અંગે ગઇકાલે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.આવેશમાં આવીને પત્ની બેડરૃમમાં જતી રહી હતી.અને બેડરૃમનો દરવાજો અંદરથી બંધ કરીને ફાંસો ખાઇ લીધો હતો.૧૫ મિનિટ સુધી પત્ની બહાર નહી આવતા પતિએ બેડરૃમનો દરવાજો ખખડાવ્યો હતો.પરંતુ,પત્નીએ દરવાજો નહી ખોલતા પતિએ દરવાજો તોડી નાંખ્યો હતો.અંદર જોયું તો પત્નીએ ફાંસો ખાઇ લીધો હતો.જે અંગે ગોત્રી પોલીસને જાણ કરવામાં આવતા એ.એસ.આઇ. પ્રતિપાલસિંહે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.