નવસારીના ગુમ થયેલા 8 માછીમારો બોટ સાથે મુંબઈ પહોંચ્યા : સાંજ સુધીમાં વતન પરત ફરશે
માછીમારી માટે મુંબઈ ગયેલા નવસારીના 8 લાપતા માછીમારો બોટ લઈને પરત ફરતા માછીમારોના પરિવારોને રાહત
નવસારીના ગુમ થયેલા 8 માછીમારો બોટ સાથે મુંબઈ પરત ફર્યા છે. મુંબઇ માછીમારી કરવા ગયેલા નવસારી 8 માછીમારો બોટ સાથે લાપતા થયા હતા. અને 10 દિવસ પહેલા માછીમારી કરવા નીકળેલા માછિમારોની બોટનો સંપર્ક તૂટ્યો હતો. શોધખોળ કરવા છતાં બોટનો પત્તો ન મળતા બોટના માલિકે ફરિયાદ નોંધાવી હતી. જોકે સદ્દનસિબે માછીમારી કરવા ગયેલા 8 માછીમારો જગવંદન બોટ સાથે મુંબઈ પરત ફર્યા છે. આ 8 માછીમારો સાંજ સુધીમાં પોતાના વતન પરત ફરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 8 માછીમાર સાથે જગવંદન નામની બોટ અરબ સાગરમાં માછીમારી ગઈ હતી. જે કેટલાક દિવસ પહેલા દરીયામાં ગુમ થઈ હોવાની માહિતી સામે આવી હતી. બોટની શોધખોળ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તો સાથે જ એક અન્ય સ્થાનિક બોટ શોધખોળમાં લાગી હતી. પરંતુ 10 દિવસ બાદ પણ બોટની કોઈ માહિતી નથી મળી. ત્યારે બોટ ગુમ થયાની ફરિયાદ મુંબઈના માલિકે કરી હતી. આ બોટમાં નવસારીના 5 માછીમાર હોવાનું સામે આવ્યું છે.