મામેરાની વિધિ સમયે ઘરમાંથી ૪૦ તોલા સોનાની ચોરી
અમદાવાદ,તા.૯: વલસાડમાં લગ્ન પ્રસંગ સમયે જ ઘરમાંથી લાખો રુપિયાના દાગીનાની ચોરી થતા ભારે ચકચાર જોવા મળી હતી. જો કે, ઘરમાં લગ્ન હોવાથી પરિવાર મામેરાની વિધિમાં હતું તે તકનો લાભ લઈ ગઠિયાએ બંગલામાંથી લાખો રૂપિયાની મત્ત્।ાની ચોરી હતી. આ બનાવને લઈ પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, વલસાડના પારનેરા પારડી રાધાકૃષ્ણ મંદિર પરિસરમાં એક લગ્ન પ્રસંગમાં મામેરાની વિધિ ચાલી રહી હતી તે તકનો લાભ લઈ કોઈ ગઠિયાએ બંગલામાં ઘુસી રૂમના કબાટમાંથી અંદાજે ૪૦ તોલા સોનાના ઘરેણા ઉઠાવી ગયો હતો. ગઠિયો દાગીનાની સાથે પાકિટમાં મુકેલા રોકડા રૂ. ૧૫ હજાર પણ ચોરી ગયો હતો.
પરિવારના સભ્યો મામેરાની વિધિ પતાવી બાંગ્લામાં પરત ફરતા ઉપરના રૂમનો સામાન વિખેલો જોઈ પરિવારના સભ્યોએ વલસાડ રૂરલ પોલીસને બનાવની જાણ કરી હતી.
બનાવની જાણ થતાં પોલીસ પારનેરા પારડીમાં રહેતા લગ્નના યજમાન એવા નીતિનભાઈ રણછોડભાઈ પટેલના ઘરે લગ્નના માંડવામાં પહોચી હતી. ચોરી મામલે પરિવારના સભ્યો અને લગ્નમાં આવેલા મહેમાનોની પણ પૂછપરછ હાથ ધરી હતી.