ગુજરાત
News of Monday, 9th November 2020

રાજપીપળા નજીક થયેલા ટ્રક અકસ્માતમાં 108 ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું રેસ્કયુ ઓપરેશન.

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : આજે વહેલી સવારે 3:00 વાગ્યાના સુમારે વિરપોર નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો જેમાં એક વ્યક્તિ નું ઘટના સ્થળે મોત નિપજયું હતું અને બીજી બે ટ્રકમાં ફસાયેલી વ્યક્તિઓને રેતીમાંથી તથા સ્ટેરીંગ અને સીટ ની વચ્ચે ફસાયેલી વ્યક્તી ને 108 એમ્બ્યુલન્સ માં રહેલ કીટ ના સાધનોનો ઉપયોગ કરી મહામહેનતે બહાર કાઢી, જરૂરી સારવાર એમ્બ્યુલનસ માં આપી, વધુ સારવાર માટે  રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા .
ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સના કર્મચારી પાઇલોટ ઉસ્માનભાઈ અને ઈ એમ ટી અમરતભાઈ ઘટના સ્થળ પર પહોંચી જઈ આગોતરી તૈયારી સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરતા, ફસાયેલ વ્યક્તિઓને જાનમાલની હાની થવા પામેલ નથી જેમાં તેમના દ્વારા સુનિલભાઈ જી. તડવી( ઉં વ.24 )અને રાજુભાઈ જે. તડવી( ઉં વ.20) ( રહે. સંજરોલી તા. ગરુડેશ્વર) નો આબાદ બચાવ કરાવ્યો હતો.

(9:05 pm IST)