ગુજરાત
News of Saturday, 9th November 2019

રામ મંદિર ભાજપ માટે ચૂંટણી ઢંઢેરો છે, પંરતુ દેશવાસીઓ માટે તો રામ આસ્થાનું જ પ્રતિક છે

ચુકાદા પૂર્વે ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કર્યું

અમદાવાદ : રામ જન્મભૂમી - બાબરી મસ્જીદનાં જમીન વિવાદનાં અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવવા જઇ રહી છે. તે પૂર્વે ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ આ મામલે ટ્વિટ કર્યું છે.

કોંગ્રેસનાં નેતા અર્જુન મોઢવાડિયાએ પોતાના ટ્વીટમાં ભાજપ પર નિશાન સાધતા આક્ષેપ કરતા કહ્યું છે કે 'રામ મંદિર ભાજપ માટે ચૂંટણી ઢંઢેરો છે, પંરતુ દેશવાસીઓ માટે તો રામ આસ્થાનું જ પ્રતિક છે.' મોઢવાડિયા દ્વારા આ રીતે ટ્વીટ કરીને ભાજપ પર મુક પ્રહાર કરવાની કોશિશ કરવામાં આવી છે.

(12:28 pm IST)