News of Saturday, 9th November 2019
અયોધ્યા કેસ મામલે કોંગ્રેસનું સ્ટેન્ડ પહેલાથી ક્લિયર :અમે કોર્ટના ચુકાદાનું સન્માન કરશું : શક્તિસિંહ ગોહિલ
ગુજરાતમાં શાંતી અને સૌહાર્દ જળવાઈ રહે તે અગત્યનું છે
અમદાવાદ : આજે વર્ષોથી પેન્ડિંગ પડી રહેલા અયોધ્યા કેસનો ચુકાદો આવ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ કિલયર કરતા જણાવ્યુ છે કે અમે અદાલત જે પણ ચુકાદો આપશે તેનું સન્માન કરીશુ.
અયોધ્યા કેસના ચુકાદા મુદ્દે નિવેદન આપતા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલે કહ્યું કોંગ્રેસનું સ્ટેન્ડ પહેલાથી ક્લીયર છે. અમે કોર્ટના ચુકાદાનું સન્માન કરીશું. ગુજરાતમાં શાંતી અને સૌહાર્દ જળવાઈ રહે તે અગત્યનું છે અને સર્વોચ્ચ અદાલતનો જે કોઈ પણ નિર્ણય હોય તે અમને મંજૂર રહેશે.
(11:18 am IST)