ગુજરાત
News of Friday, 8th November 2019

સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં વેન્ટિલેટર મશીન ખાલી ન હોવાના કારણે વૃદ્ધાનું મૃત્યુ: સિવિલ હોસ્પિટલે લઇ જતી વેળાએ રસ્તામાં વૃદ્ધાએ દમ તોડ્યો

સુરત:મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વેન્ટિલેટર મશીન ખાલી હોવાથી ત્યાંના ડોક્ટરે વરાછાની વૃદ્ધાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું જોકે સિવિલમાં લાવતા ની સાથે વૃદ્ધા મોતને ભેટયા હતા.

નવી સીવીલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછા રોડ પર બોમ્બે માર્કેટ પાસે ખાડી મોહલ્લામાં રહેતા 79 વર્ષીય કીકીબેન બાબરભાઈ રાઠોડ બે દિવસ પહેલા ઘર પાસે કૂતરાને લીધે પડી ગયા હતા. બાદમાં આજે સવારે અચાનક તેમની તબિયત બગડતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે તેમને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

(5:34 pm IST)