નડિયાદના પીજ ગામે અચાનક 10 ગાયોના ભેદી સંજોગોમાં મૃત્યુ થતા સ્થાનિકોએ મૃત્યુ અંગે તપાસ કરવા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા
નડિયાદ:પીજ ગામમાં થોડા દિવસો પહેલા ગાયોના મૃત્યુ નિપજયા હતા.આ અંગે પીજ ગામના સ્થાનિકોએ આજરોજ જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી ગાયોના મૃત્યુ અંગે કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરાઇ છે.
પીજ ગામે તાજેતરમાં ગાયોના મૃત્યુ નિપજયા હતા.આ અંગે આજરોજ આપવામાં આવેદનપત્રમાં જણાવ્યુ છે કે તા.તા.૩-૧૧-૧૯ ના રોજ રાત્રીના સમયે ગાયો બેસી હતી.એ દરમ્યાન કોઇ વિધ્નશંતોષી લોકોએ ગાયોના ખોરાકમાં ઝેરી પદાર્થ મિલાવટ કરીને આપ્યુ હોવાનો આક્ષેપ કર્યો છે.વધુમાં જણાવ્યુ છે કે ગાયોના માલિકો સવારે ગાયો દોહવા માટે ગયા ત્યારે બધી ગાયો જમીન દોસ્ત થઇ ગઇ હતી અને ગાયોના મોઢામાંથી ફીણ નીકળતા હતા.આ બનાવથી સમાજના લોકો એકત્રિત થઇ ગયા હતા.અને આ બનાવ અંગે તપાસ કરતા માલુમ પડયુ હતુ કે પીજ ગામના કોઇ વ્યક્તિએ આ કૃત્ય કર્યુ હોવાનુ બહાર આવ્યુ હતુ. આવેદન પત્રમાં ઉમેર્યુ છે કે આ અંગે વસો પોલીસ મથકે સમાજના લોકો ભેગા મળીને ફરિયાદ આપી છે.