News of Friday, 8th November 2019
ભરૂચના દાંડિયા બજારમાં રહેતા 28 વર્ષીય યુવકને નોકરી અંતર્ગત સુરત જવામાં કાળ ભરખી ગયો: ટ્રેનની હડફેટે મૃત્યુ થતા તપાસ હાથ ધરવામાં આવી
સુરત:ભરૃચના દાંડીયા બજારમાં રહેતો 28 વષીૅય ગોપાલ ઠાકોર બુધવારે સાયણ કિમ રેલવે ટ્રેક પાસે ઇજાગ્રસ્ત હાલમાં પડેલો હતો.તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.જયાં આજે સવારે તે મોતને ભેટયો હતો.
સુત્રાએ કહ્યુ કે ગોપાલ છેલ્લા કેટલાક સમયથી બેકાર હોવાથી બુધવારે સુરતના સાયણ ખાતે આવ્યો હતો.જોકે તે દિવસે મોડી સાંજ સુધી ઘરે નહી પહોચતા તેના પરિવારે શોધખોળ આદરી હતી. બાદમાં સિવિલમાં હોવાનુ જાણવા મળ્યુ હતું. ટ્રેનની અડફટે મોત થયુ હોવાની શકયતા પોલીસે દર્શાવી હતી.
(5:31 pm IST)