વાઘોડિયાના આજવામાં થીમપાર્કની પાણીની ટાંકીમાં ડૂબી જવાથી મહુધાના 12 વર્ષીય કિશોરના મૃત્યુના બનાવમાં પોલીસે બે મેનેજર સહીત પાંચ કર્મચારીની ધરપકડ કરી
વાઘોડિયા: તાલુકાના આજવા ખાતે આતાપી વન્ડરલેન્ડ થીમપાર્કની પાણીની ટાંકીમાં ડૂબી જવાથી નડિયાદ નજીકના મહુધા ગામના ૧૨ વર્ષના કિશોરના મોતની તપાસના બનાવમાં આતાપી થીમપાર્કના જનરલ મેનેજર સહિત પાંચ જવાબદાર વ્યક્તિની વાઘોડિયા પોલીસે આખરે ધરપકડ કરી છે.
મહુધા ખાતે આડાબજારમાં રહેતો તેમજ ધોરણ-૭માં અભ્યાસ કરતો હસનેન ઉસ્માનભાઇ મન્સુરી(ઉ.વ.૧૨)નું આજવા ખાતે આતાપી વન્ડરલેન્ડ થીમપાર્કના ફિલ્ટર સ્ટેશનની ટાંકીમાં ડૂબી જવાથી કરૃણ મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી થીમપાર્કના ત્રણ મેનેજર અને વોટર પંપીગ સ્ટેશનના ત્રણ કર્મચારીઓની પૂછપરછ કરી હતી તેમજ સીસીટીવી કેમેરાનો પણ અભ્યાસ કરાયો હતો. સીસીટીવી ફુટેજમાં આતાપીના સંચાલકોની બેદરકારી સ્પષ્ટ બહાર આવી હતી અને આજે પોલીસે ધરપકડનો સીલસીલો શરૃ કર્યો હતો.