News of Friday, 8th November 2019
અમદાવાદના થલતેજમાં નીટની પરીક્ષાની તૈયારી કરનાર 19 વર્ષીય યુવકે સ્વાસ્થ્યની તકલીફને કારણે ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી
અમદાવાદ: શહેરના થલતેજમાં પી.જીમાં રહેતા અને નીટની પરીક્ષાની તૈયારી કરી રહેલા ૧૯ વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સ્વાસ્થયની તકલીફને કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું સુસાઈડ નોટમાં જણાવ્યું હતું. સોલા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ મુળ લુણાવાડાનો રહેવાસી ગૌરાંગ આર.વણકર (૧૯) થલતેજમાં આવેલી મેનકા સોસાયટીમાં પી.જીમાં રહેતો હતો. ગૌરાંગ ૧૨ સાયન્સ પાસ કર્યા બાદ નીટની તૈયારી કરી રહ્યો હતો અને એલ.એન.ઈન્સ્ટીટયુટમાં અભ્યાસ કરતો હતો. પોલીસે તેના માતાપિતાને બનાવની જાણ કર્યા બાદ તેમને પુત્રનો મૃતદેહ સોંપ્યો હતો. સોલા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(5:29 pm IST)