ગુજરાત
News of Friday, 8th November 2019

કુમકુમ મંદિરે ભગવાન સ્વામીનારાયણના ૨૧૮માં પટ્ટાભિષેક દિનની ઉજવણી

 અમદાવાદ : શ્રી સ્વામીનારાયણ મંદિર - કુમકુમ - મણીનગર ખાતે શ્રી સ્વામીનારાયણ ભગવાનના ૨૧૮માં પટ્ટાભિષેક દિન અને જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૫મી જયંતિ પ્રસંગે શ્રી સ્વામીનારાયણ ભગવાન ૨૦૦ વર્ષ પહેલા જેવા હિંડોળામાં બિરાજતા હતા, તેવા હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને ૬૦*૫૦ ફૂટના મંદિરના વિસ્તારમાં ગામડાનું દૃશ્ય તૈયાર કરીને જીવન લીલાના પ્રસંગોના દર્શન કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આરતી ઉતારી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.

(3:36 pm IST)