News of Friday, 9th November 2018
દહાણુ પાસે માલગાડીના ડબ્બામાં આગ લાગતા અમદાવાદ આવતી ટ્રેનો પાંચ કલાક મોદી :કાલુપુર સ્ટેશને મુસાફરો અટવાયા
અમદાવાદ :મહારાષ્ટ્રના દહાણુ પાસે માલગાડીના બે ડ્બ્બામાં આગ લાગતા અન્ય ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો.જેના કારણે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને મુસાફરોએ હાલાકી વેઠવી પડી છે
મુંબઈથી આવતીટ્રેનમાં અમદાવાદથી બેસનારા મુસાફરોએ પાંચ કલાક સુધી રાહ જોવી પડી. મુસાફરોએ ઓનલાઈનેચેકિંગ અને રેલવે સ્ટેશનને મુકાયેલા ટીવી દ્વારા ટ્રેન લેટ હોવાની માહિતી મળી હતી.મુસાફરોએ પહેલા ત્રણ કલાક અને બાદમાં બે કલાક સુધી બેસી રહેવુ પડ્યું.જોકે મોડે-મોડે પણટ્રેન આવતા લોકોને હાશકારો થયો અને ટ્રેનની મુસાફરી શરૂ કરી.
(3:06 pm IST)