ગુજરાત
News of Saturday, 9th October 2021

પેટલાદ તાલુકાના મહેળાવ નજીક બંધ મકાનના નકુચા તોડી ગઠિયાએ 55 હજારની તસ્કરી કરી

પેટલાદ:તાલુકાના મહેળાવ ગામે આવેલી આશા શંકરની ખરીની બાજુના મકાનમાં ત્રાટકેલા તસ્કરો બંધ મકાનના લોખંડના દરવાજાના નકુચા કોઈ સાધન વડે કાપીને અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના, રોકડ તેમજ સીસીટીવીનું ડીવીઆર મળીને કુલ ૫૫૨૦૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે મહેળાવ પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર પોરડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મુળજીભાઈ મણીભાઈ રોહિત મુળ મહેળાવના છે તેમનું એક ઘર મહેળાવના પેટલાદ-નડિયાદ રોડ ઉપર આવેલી આશાભાઈ શંકરભાઈની ખરીની બાજુમાં આવેલું છે. હાલમાં તેઓ આણંદના આકૃતિનગરમાં પરિવારના સભ્યો સાથેે રહે છે. ગત ૬ઠ્ઠી તારીખના રોજ કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને લોખંડના દરવાજાના નકુચા તાળા સાથે કોઈ સાધન વડે કાપી નાંખીને અંદર પ્રવેશ કરી બેડરૂમની જારીના સળિયા પણ કાપી નાંખીને બેડરૂમમાં પ્રવેશ્યા હતા અને તિજોરી તોડી નાંખી અંદરથી સોનાની વીંટી, દોરો, ચાંદીનું મંગળસુત્ર, કંદોરો, પોચા, કંઠી રોકડા ૭ હજાર તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળીને કુલ ૫૫૨૦૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

 

(6:24 pm IST)