News of Monday, 9th September 2019
નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા : 6,61 લાખ ક્યુસેક પાણી છોડાયું : 23 ગામોને એલર્ટ : ઝઘડિયામાં SDRF ટીમ તૈનાત
અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના: નદી કાંઠાના લોકોને સાવચેત કરાયા
નર્મદા: નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની જોરદાર આવક થતાં ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઝઘડિયામાં SDRFની ટીમ તૈનાત કરાઈ અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે.
સરદાર સરોવર ડેમમાંથી છ લાખ 61 હજાર ક્યૂસેક પાણી છોડતા જિલ્લાના 23 ગામને અલર્ટ કરાયા છે. ડેમમાં સતત પાણીની આવક થતાં નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને તમામ ગામની મુલાકાત માટે સૂચના અપાઈ છે.
(10:34 pm IST)