ગુજરાત
News of Monday, 9th September 2019

પાલેજમાં મોહરમ તેમજ ગણેશ વિસર્જન પર્વ નિમિતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

તાજીયા અને ગણેશ મંડળના આયોજકોએ સંપૂર્ણ સહકારની ખાત્રી આપી

ભરૂચના પાલેજ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક બેઠક પાલેજ પોલીસ મથક ખાતે યોજાઇ હતી.

પાલેજ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.પટેલે અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે, મોહરમ પર્વ તેમજ ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે સોહાર્દભર્યા માહોલમાં હિંદુ-મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ભેગા મળી ઉજવણી કરે. કોઇપણ જાતની અફવાઓથી લોકો દુર રહી પોલીસ તંત્રને સહકાર આપી કોમી એકતાની ભાવનાથી પર્વોની ઉજવણી કરવા બંને સંપ્રદાયના લોકોને અપીલ કરવામાં આવી હતી.

 શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત પાલેજ નગરના તાજીયા અયોજકો તેમજ ગણેશ મંડળના આયોજકોએ પણ સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી.

(9:38 pm IST)