ગુજરાત
News of Monday, 9th September 2019

પ્રધાનમંડળમાં ફેરફારો અંગે સતત અટકળોનો દોર : જોકે હાલ તુરત કોઈ ફેરફારો થાય તેવી સંભાવના નથી

 ગુજરાતના રૂપાણી મંત્રીમંડળમાં વિસ્તરણ અને ખાતાઓના ફેરફારની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ હાલમાં આવી કોઈ જ ગતિવિધિ હોવાનું જાણવા મળતું નથી.

 અમિતભાઈ શાહની તાજેતરની બે વખતની મુલાકાતના પગલે મંત્રીમંડળના પરિવર્તનની વાતો જોરશોરથી ચર્ચા હતી પરંતુ આગામી વિધાનસભાની પેટા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે હાલમાં આવા કોઈ ફેરફારો થાય તેવી શકયતા નથી.

  દરમિયાન ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની પ્રદેશ અધ્યક્ષ તરીકેની ત્રણ વર્ષની મુદત પણ પૂરી થઈ છે તેથી તેમને પ્રધાનમંડળમાં સમાવવામાં આવે તેવી પણ ચર્ચાઓ છે.

(11:51 am IST)