ગુજરાતમાં RTI કરવા બદલ દસ લોકો પર આજીવન પ્રતિબંધ મુકાયો : માહિતી આયોગ દ્વારા મોટી કાર્યવાહી
લોકોએ છેલ્લા 18 મહિનામાં RTI દ્વારા મોટા પ્રમાણમાં પ્રશ્નો પૂછીને સરકારી અધિકારીઓને હેરાન કરવાનું કામ કર્યું
ગુજરાતમાં આરટીઆઇ કરવા બદલ દસ લોકો પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી આયોગ માનવું છે કે આ લોકોએ છેલ્લા 18 મહિનામાં RTI દ્વારા મોટા પ્રમાણમાં પ્રશ્નો પૂછીને સરકારી અધિકારીઓને હેરાન કરવાનું કામ કર્યું છે. આ કારણોસર આ લોકો પર આજીવન આરટીઆઈ (માહિતીનો અધિકાર) પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જયારે 2005 અને 2010 ની વચ્ચે ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર રહેલા વજાહત હબીબુલ્લાહ ને જણાવ્યું હતું કે આ આદેશો માત્ર વિવાદાસ્પદ નથી પરંતુ સંપૂર્ણપણે ગેરકાયદે પણ છે. આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી શકે છે.
જેમાં ગુજરાત માહિતી આયોગ પેટલાદ શહેરના અરજદાર હિતેશ પટેલ અને તેની પત્નીને રૂ. 5,000નો દંડ પણ ફટકાર્યો હતો, જે તેના ઇતિહાસમાં આ પ્રકારની પ્રથમ કાર્યવાહી છે. આ લોકોએ તેમની રહેણાંક સોસાયટી સંબંધિત 13 RTI પ્રશ્નો દાખલ કર્યા હતા. માહિતી કમિશનરોએ સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે જ્યારે આ દસ લોકો દ્વારા માહિતી માંગવામાં આવે ત્યારે વર્તમાન મુદ્દાઓ પર કોઈ માહિતી ન આપે. આરટીઆઈ હેલ્પલાઈન ચલાવતી અને આરટીઆઈ અરજીઓ અને પ્રતિસાદોનો અભ્યાસ કરતી એનજીઓ માહિતી અધિકાર ગુજરાત પહેલ દ્વારા હાથ ધરાયેલા વિશ્લેષણમાં આ માહિતી સામે આવી છે.
જેમાં એક અરજદારની વિગત જોઇએ તો અમિતા મિશ્રા, પેથાપુર, ગાંધીનગરની શાળાના શિક્ષક છે. જ્યારે અમિતાએ તેની સર્વિસ બુકની કોપી અને પગારની વિગતો માંગી ત્યારે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. માહિતી કમિશનર કે.એમ.અધ્વર્યુએ જિલ્લા શિક્ષણ કચેરી અને સર્વ વિદ્યાલય કડીને અમિતાની અરજીઓ પર ક્યારેય વિચાર ન કરવા આદેશ આપ્યો હતો. હકીકતમાં, શાળાના સત્તાવાળાઓએ ફરિયાદ કરી હતી કે તેણીએ પૃષ્ઠ દીઠ 2 રૂપિયાની જરૂરી આરટીઆઈ ફી ચૂકવી નથી અને તે જ પ્રશ્ન પૂછ્યો હતો.
મોડાસા નગરની એક શાળાના કર્મચારી સત્તાર મજીદ ખલીફાએ તેની સામે કાર્યવાહી કર્યા બાદ તેની સંસ્થા અંગે પ્રશ્નો પૂછવાનું શરૂ કરતાં તેને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. માહિતી કમિશનર અધ્વર્યુએ આ બાબતે કમિશનમાં અપીલ કરવાનો ખલીફાનો અધિકાર પાછો ખેંચી લીધો હતો. અધ્વર્યુને તપાસમાં જાણવા મળ્યું કે ખલીફા આરટીઆઈ દ્વારા “શાળા પર બદલો લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ખલીફાએ વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન પીઆઈઓ (જાહેર માહિતી અધિકારીઓ), શિક્ષણ વિભાગના એપેલેટ ઓથોરિટી અને કમિશને પણ આક્ષેપો કર્યા હતા
એક કિસ્સામાં માહિતી કમિશનર દિલીપ ઠાકરે ભાવનગરના ચિંતન મકવાણાને ભાવનગરની મુખ્ય જિલ્લા આરોગ્ય કચેરી, સીસીટીવી ફૂટેજ સહિતની કોઈપણ માહિતી માંગવા પર પ્રતિબંધ મૂક્યો હતો. મકવાણાની પત્ની જેસરમાં આરોગ્ય વિભાગમાં વર્ગ-3ની કર્મચારી છે અને આ મુદ્દે વિવાદ થતાં વિભાગના કર્મચારીઓને સરકારી રહેણાંક ક્વાર્ટરની ફાળવણી અંગેના ધોરણો જાણવા માગતી હતી. મકવાણાની પત્ની અને તેના સાસુ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે તેમની આરટીઆઈ “દુર્ભાવનાપૂર્ણ” અને ઈરાદા સાથે સંપૂર્ણ વેર ભરેલી હતી.
એમએજીપીના રો જોગ કહે છે કે “આ 10 આદેશોનું વિગતવાર વિશ્લેષણ દર્શાવે છે કે ગુજરાતના માહિતી કમિશનરોએ એનડી કુરેશી વિરૂદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા, સીબીએસઈની સુપ્રીમ કોર્ટમાં 2008નો દિલ્હી હાઈકોર્ટનો આદેશ જેવા મુઠ્ઠીભર કોર્ટના આદેશો પેરા પર ભરોસો કર્યો છે. રસપ્રદ વાત એ છે કે, આ વર્ષે 18 જૂને ગુજરાતના ગૃહ વિભાગે આરટીઆઈના જવાબમાં કહ્યું હતું કે “આરટીઆઈ અરજદારોને બ્લેકલિસ્ટ કરવા અથવા પ્રતિબંધિત કરવાનો કોઈ કાયદો નથી. જ્યારે જૂન 2007માં, ગુજરાતના સ્વર્ગસ્થ મુખ્ય માહિતી કમિશનર આરએન દાસે આરટીઆઈ અરજદારોને ખોટા શોધી તેમને બ્લેકલિસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.
હબીબુલ્લાહે કહ્યું કે ” માહિતી આયોગ એ નાગરિક માટે અપીલની અંતિમ અદાલત છે. તો પછી માહિતી આયોગ આવા આદેશો કેવી રીતે પસાર કરી શકે, જે કાયદાની બહાર હોય? માહિતી કમિશનરો તેમની કલ્પનાશક્તિનો ઉપયોગ કરે અથવા કાયદાની શોધ કરે એવી અપેક્ષા રાખતું નથી. આરટીઆઈ એક્ટ સમજવો મુશ્કેલ કાયદો નથી