ગુજરાત
News of Friday, 9th July 2021

રાજપીપળા શહેરમાં નિયમોને આધિન 60 વ્યક્તિઓ સાથેની રથયાત્રાને મંજૂરી મળતા ભક્તોમાં ખુશી

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એ.શાહે એક જાહેરનામાં દ્વારા આપેલી સૂચના મુજબ તા.12.07. 21 સોમવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની મંજૂરી સરકારી નિયમોને આધીન અપાઈ છે, રાજપીપલા ખાતે નિકડનારી રથયાત્રામાં 60 વ્યક્તિઓની હાજરીમાં આ રથયાત્રા/શોભાયાત્રા નિકળશે,આ કાર્યક્રમ જે યુવાનોએ વેકસીનના 2 ડોઝ મુકાવ્યા હોય તેમનો સમાવેશ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે રથયાત્રામાં જોડાનાર વ્યક્તિઓને તંત્ર તરફથી કાર્ડ આપવામાં આવશે માટે કાર્ડ  ધરાવતા વ્યક્તિઓ યાત્રામાં ભાગ લઈ શકશે.

(10:35 pm IST)