News of Monday, 9th July 2018
ભગવાનનું મામેરૂ ભક્તોના દર્શન માટે મુકાયું :સરસપુરમાં ભાવિકોની ભીડ ઉમટી
અમદાવાદ ;આગામી શનિવારે ભગવાન જગન્નાથજી 141મી રથયાત્રા નીકળવાની છે.જેની જગન્નાથ મંદિરે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે આજે ભગવાનનું મામેરું દર્શન માટે મુકવામાં આવ્યું હતું.
આજે સોમવારે રથયાત્રામાં ભગવાનને આપવાનું મામેરું ભક્તોના દર્શન માટે મુકવામાં આવ્યું હતું.ભગવાનના મામેરાના દર્શનનો લાભ લેવા માટે સરસપુરમાં ભક્તોની ભીડ ઉમટી હતી.
(9:18 pm IST)