આણંદ જિલ્લામાં પણસોરામાં પ્રેમીપંખીડાએ આપઘાત કરતા પ્રેમીનું મોત: પ્રેમિકાની હાલત ગંભીર
આણંદ: જિલ્લાના પણસોરા ગામના પ્રેમી યુવક યુવતીએ ઘરેથી નાસી છુટ્યા બાદ ઝેર પી લેતાં પ્રમીનું સારવાર દરમ્યાન મોત થયું હતુ. જ્યારે પ્રેમીકાની હાલત ગંભીર હાલતમાં નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. સમગ્ર ઘટના અંગે મહુધા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે આશીષ ઇન્દ્રવદનભાઇ ચૌહાણ (ઉ.૩૨) નામનો યુવક રહેતો હતો. ખેતી અને ડીજે વગાડવાનો વ્યવસાય કરતા આશીષને પ્રથમ પત્નિથી સંતાનમાં એક બાળક છે, જે પ્રથમ પત્નીનું હાર્ટ અટેકથી અવસાન થયા બાદ પરવિારજનો દ્વારા તેના બીજા લગ્ન પણ કરાવવામાં આવ્યા હતા. પરંતુ ડીજેનો વ્યવસાય કરતા આશીષને ગામનીજ નંદની (નામ બદલેલ છે) નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાઇ ગયો હતો. આશીષના બે લગ્ન થયેલ હોવાથી કોઇપણ યુવતીનો પરીવાર પોતાની દિકરીના લગ્ન તેની સાથે ના કરાવે તે સ્વાભાવીક છે. જેના કારણે અઠવાડિયા અગાઉ બંને પ્રેમી પંખીડાઓ ઘર છોડીને ભાગી ગયા હતા. નંદની ઘર છોડીને ભાગી જતા તેના પરીવારજનો દ્વારા ઉમરેઠ પોલીસ મથકમાં તા.૦૨ જુલાઇના રોજ જાણવા જોગ ફરિયાદ આપી હતી. જે બાદ બંને પ્રેમી પંખીડાઓના પરીવારજનો દ્વારા તેમને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ બંનેનો પત્તો મળ્યો ન હતો. આજે વહેલી સવારના આશીષ અને નંદની મહુધાથી શેરી તરફના રસ્તે પણસોરા તરફ જઇ રહ્યા હતા દરમ્યાન બંને વચ્ચે ઘરે પરત ફરવાને લઇ રકઝક થઇ હતી. જે રકઝક વધી જતા બંને પ્રેમીઓએ ઝેર પી આ ફાની દુનીયાને અલવીદા કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ બંનેએ ઝેર પી લીધા હતા, જે બાબતની જાણ આસપાસના લોકોને થતા તુરંત ૧૦૮નો સંપર્ક કરી બંને પ્રેમી પંખીડાઓને સારવાર માટે નડિયાદ સીવીલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.