ખેડૂતોની આત્મહત્યા પાછળ માત્ર ખેતીની નિષ્ફળતાનું એકમાત્ર કારણ જવાબદાર નથીઃ કોંગ્રેસ દ્વારા આયોજીત આંદોલનના વિરોધ કરતા નીતિનભાઇ પટેલ
વડોદરાઃ કોંગ્રેસ દ્વારા ગઇકાલથી ખેડૂતોના પ્રશ્ને રાજ્યભરમાં આંદોલનાત્મક કાર્યક્રમો કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે, જેને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વખોડી કાઢી છે.
નીતિનભાઇ પટેલે કહ્યુ કે, ખેડૂતો દ્વારા કરવામાં આવતી આત્મહત્યા પાછળ ખેતીની નિષ્ફળતાનું એક માત્ર કારણ જવાબદાર હોતું નથી. આત્મહત્યા માટે સામાજિક કારણ પણ જવાબદાર હોઈ શકે છે. સરકાર દ્વારા ખેડૂતોની આવક વધે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં કૃષિ ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેર કોર્પોરેશન દ્વારા પર્યાવરણ બચાવોના ભાગ રૂપે વડસર ખાતે લેન્ડ ફીલ ડમ્પીંગ સાઇટની જગ્યાએ ગંદકી દૂર કરીને 12 એકર જગ્યામાં ટ્રી મ્યૂઝીયમ તૈયાર કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું. તેમની સાથે નીતિન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજર રહ્યાં હતા.